અશ્વિન ચૌધરી ઇલેક્ટ્રીક એન્જીનીયર છે, તેમજ એક કવિ અને લેખક પણ ખરા. તેમની મનપસંદ કવિતા એટલે સ્વલીખીત "માણસ જાણે મોબાઇલ થઇ ગયો" છે જેની નોંધ અગ્રણી મેગેઝીન ચિત્રલેખાએ લીધેલ છે. સ્વલીખીત ગાયનોની ઓડીયો સી.ડી. પણ તેમણે બહાર પાડેલ છે. ફોટોગ્રાફીનો પણ શોખ ખરો. તેમનો સંપર્ક ફેસબુક પર થઇ શકશે. લિન્ક: http://www.facebook.com/profile.php?id=100000974352465
—--
તમે ઘરની બહાર નીકળો પછી મોબાઇલનાં દર્શન ના થયા હોય એવું કોઇ દિવસ બન્યું છે? રોડ ઉપર, બસ સ્ટેંન્ડ પર કે પછી ઓફિસે,બજારમાં કે પછી મંદિરે, જ્યાં જાઓ ત્યાં કોઇ ને કોઇ વ્યક્તિ મોબાઇલ હાથમાં પકડીને લાંબી લચક વાતો કરતો જ હોય છે. છેલ્લા બે વર્ષમાં તો સંદેશા વ્યવહારનો આખો સિનારિયો બદલાઇ ગયો છે. મોંઘી લકઝુરિયસ ગાડીમાં ફરતા શ્રીમંતો કે પછી સામાન્ય રેંકડી લઇ ફરતો ફેરિયો, બધાં જ વર્ગના લોકો મોબાઇલઘેલા બન્યા છે. મોબાઇલે સૌ કોઇના જીવનમાં એટલી હદે પગપેસારો કર્યો છે કે હવે તે બધા માટે અનિવાર્ય બન્યો છે. આટલું ઓછું હોય તેમ મોબાઇલ કંપનીવાળા પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી સ્કીમો લાવતા હોય છે જેથી ગ્રાહકો પણ વર્ષે વર્ષે નંબરો અને મોબાઇલના નવા નવા મોડેલો બદલતા રહેતા હોય છે.કોકવાર પ્રિપેઇડ તો ક્યારેક પોસ્ટપેઇડ એમ નવી નવી સ્કીમો માનવી અપનાવતો રહે છે. મોબાઇલની સંગતમાં રહીને માનવી પણ મોબાઇલ જેવો જ થવાં માંડ્યો છે. કેટલાક માણસોની હરકતો કે રહેણીકરણી જોઇએ તો આપણે સહજ રીતે બોલી જઇએ કે...
wah aswinbhai,
sundar rachna ......
pravinbuddh 1 year ago
very nice
natvermehta 1 year ago
chitralekha ma tamne joyel
dineshtilva 1 year ago